દેશના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત શૅરબજારના બીએસઇનો સેન્સિટિવ ઇન્ડેકસે ગુરુવારે ચાલુ સત્ર દરમિયાન 50,000 પોઈન્ટનું સીમાચિહ્ન સ્થાપિત કર્યું. તેની સાથે નિફટી આંક પણ વધ્યો હતો. જોકે, બજાર બંધ થયું તે પછી સેન્સેક્ષ 50,000ના સ્તરને ટકાવી શક્યો નહીં અને તે આગલા બંધથી આશરે 167 પોઇન્ટ ઘટ્યો. ગઈ કાલે સેન્સેક્ષ વધુ 746 પોઇન્ટ ઘટીને 48,878 થયો. સેન્સેક્ષ 50,000 સુધી ગયા પછી બે દિવસથી સતત ઘટી રહ્યો હોવાથી રોકાણકારોને મૂંઝવણ થવી સ્વાભાવિક છે કે હવે શું કરવું? તેનો ઉત્તર એ છે કે, જૂના રોકાણ ઉપર નફો મળતો હોય અને પૈસાની જરૂર હોય તો શેર વેચવા કાઢવા, પણ જો પૈસાની જરૂર હોય નહીં તો દરેક ઘટાડે પોર્ટફોલિયોમાં શેર વધારતા જવા. આનાં કારણો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય છે. ભારતીય અર્થતંત્ર કોરોનાની કટોકટીને લગભગ પાર કરી ગયું છે, તેવો રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાનો અહેવાલ કહે છે. આ અહેવાલ પ્રમાણે, અર્થતંત્રમાં 'ટ' શેપની, અર્થાત્ તળિયેથી, ઝડપી સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે. દેશવ્યાપી લૉકડાઉનને કારણે અર્થતંત્રનાં ચક્રો ફરતાં લગભગ અટકી ગયાં. તેની અસરથી આ વર્ષના પ્રથમ-માર્ચ 20 ત્રિમાસિકનો જીડીપી ચોખ્ખો 23.9 ટકા ઘટ્યો હતો. પણ તે પછી અર્થતંત્રના વિવિધ તબક્કે પ્રવૃત્તિનો સંચાર શરૂ થયો તેથી ઓગસ્ટ મહિનામાં પૂરા થયેલા બીજા ત્રિમાસિકનો જીડીપી માત્ર 7.5 ટકા માઇનસ આવ્યો. આ સુધારો એવા સમયે આવ્યો જ્યારે યુરોપ, અમેરિકાનાં અર્થતંત્રો બેહાલ હતાં અને તે દેશોની મધ્યસ્થ બૅન્કો તેમનાં અર્થતંત્રોને બચાવવા છૂટથી ચલણી નોટો છાપી છાપીને સિસ્ટમમાં ઠાલવતી હતી.
સેન્સેક્ષ-નિફટીના એકધારા વધવા માટે આ પણ એક મહત્ત્વનું કારણ છે. વિદેશમાં બોન્ડના વળતર શૂન્ય નજીક અથવા શૂન્યની નીચે ગયા છે. તેથી તેમનું નાણું જ્યાં વધુ વળતર મળતું હોય તેવા દેશો તરફ વળે છે. પાણીને ઢોળાવ મળે ત્યાં ઉતરે તેમ નાણું જ્યાં વધુ વળતર મળતું હોય ત્યાં જાય તે સામાન્ય નિયમ છે પણ રોકાણનો વધુ એક નિયમ એ છે કે વળતર વધુ તેમ જોખમ પણ વધુ. વિદેશી રોકાણકારોની પહેલી પસંદ ભારત હોવાથી અહીં પ્રોજેક્ટ્સમાં સીધું રોકાણ શેરબજારો તથા ઋણ બજારમાં આવે છે.
ભારતીય અર્થતંત્રની ધીંગી તાકાત અને કોરોનાની મહામારીને નાથવામાં સરકારે જે સફળતા મેળવી તે નોંધનીય છે. કોરોનાની બે વૅક્સિન આવી ગઈ છે. કોરોનાને કારણે થતાં મૃત્યુનો દર વિશ્વમાં સૌથી નીચો છે. વિશ્વમાં કોરોનાના નવાં સ્વરૂપે મહામારીને વિકસાવી છે ત્યારે ભારતમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. રિઝર્વ બૅન્કનો અહેવાલ કહે છે કે, ભારતીય અર્થતંત્ર કોરોનાના પીડાદાયક તબક્કામાંથી બહાર આવી ગયું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અગાઉ જે કહ્યું તેનું રિઝર્વ બૅન્કે પણ સમર્થન કર્યું છે કે આ વર્ષના બાકીના બે ત્રિમાસિક (ઓક્ટોબરથી માર્ચ)માં અર્થતંત્રનો વિકાસ દર પોઝિટિવ થશે.
આવાં અનેક કારણોએ શેરબજારોમાં તેજીની આગ લગાવી છે. અત્યારે સેન્સેક્ષ-નિફટીમાં જે ઘટાડો આવ્યો તે તેજીના વલણને વધુ તંદુરસ્ત કરશે. એક ઍનલિસ્ટ્સે કહ્યું છે કે, સેન્સેક્ષ વાર્ષિક 13 ટકાનું વળતર આપશે તો પાંચથી સાત વર્ષમાં તે એક લાખ સુધી જવાની શક્યતા છે.
રોકાણકારોએ આ તેજીમાં જાતવાન શેરો લાંબા ગાળાના વ્યૂહને ધ્યાનમાં રાખીને ખરીદતા રહેવું એ અત્યારના સમયનો તકાજો છે.
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવાતી દસમા અને બારમા ધોરણની પરીક્ષા આગામી એપ્રિલ-મે મહિનામાં રાખવામાં આવી છે. બારમા ધોરણની પરીક્ષા 26 એપ્રિલથી 29 મે વચ્ચે અને એસએસસીની 29 એપ્રિલથી 31 મે દરમિયાન યોજાશે. પરીક્ષા લેવાયા પછી તુરંત ઉત્તરપત્રિકાઓ તપાસવાનું કામ હાથ ધરવામાં આવશે એટલે બારમાની પરીક્ષાનું પરિણામ જુલાઈના અંતમાં અને દસમાનું પરિણામ અૉગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે એમ શાળા શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું છે.
વાસ્તવમાં રાજ્યમાં 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે હજી સુધી બધા જિલ્લામાં શાળાઓ ખૂલી નથી, પરંતુ સરકારે બૉર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે. આનાથી સવાલ એ થાય છે કે સરકાર વ્યવહારિક દૃષ્ટિએ પરીક્ષા અંગે ક્યારે નિર્ણય લેશે? કોરોના વાયરસને પગલે ગયા વર્ષના માર્ચ મહિનાથી શાળા- કૉલેજ બંધ છે. નવેમ્બરથી કેટલાક જિલ્લામાં નવમાથી લઈ બારમા સુધીની શાળાઓ ખૂલી હતી. પરંતુ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેને અડીને આવેલાં ઉપનગરોમાં હજી સુધી આંગળીના વેઢે ગણાય એટલી જ શાળાઓ ખૂલી છે. આવી સ્થિતિમાં સરકારની પ્રથમ પ્રાથમિક્તા આ સ્થળોએ શાળા ખોલાવી પ્રત્યક્ષ રૂપે અભ્યાસ કરાવવાની હોવી જોઈતી હતી. પરંતુ શિક્ષણપ્રધાને શાળા શરૂ કરાવ્યા વગર જ બૉર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.
સરકારે પહેલાં મુંબઈ અને થાણેમાં શાળાઓ ખોલવાની આવશ્યક્તા છે. તે માટે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા શાળાઓમાં ઉપાય યોજનાની તૈયારી કરવી જોઈએ. એક વાર શાળા ખૂલી જાય અને અભ્યાસ થવા લાગે પછી જ પરીક્ષાની વાત કરવી જોઈએ. જાન્યુઆરનાં ત્રણ અઠવાડિયાં વીતી ગયાં છે અને એપ્રિલથી પરીક્ષાની વાત થઈ રહી છે. આટલા ઓછા સમયમાં શાળા વિદ્યાર્થીઓને કેટલો અભ્યાસક્રમ ભણાવી શકશે? અને એ પછી પરીક્ષાની તૈયારી માટે તેમની પાસે કેટલો સમય રહેશે? આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ, પરીક્ષાનું સ્વરૂપ વગેરે બાબતો પર વિચાર કરવો જોઈએ. એમ કરવાથી વિદ્યાર્થીઓ પર પરીક્ષાની તાણ નહીં આવે અને તેઓ પરીક્ષાના બોજ વિના તૈયારી કરી શકશે. સરકારે નક્કર નિર્ણય લેવો જોઈએ. કોરોનાકાળમાં શાળાઓમાં વર્ગ લેવાની મનાઈ હતી પરંતુ સરકારે બોર્ડની પરીક્ષાનું આયોજન શાળાઓમાં જ કર્યું છે.
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવાતી દસમા અને બારમા ધોરણની પરીક્ષા આગામી એપ્રિલ-મે મહિનામાં રાખવામાં આવી છે. બારમા ધોરણની પરીક્ષા 26 એપ્રિલથી 29 મે વચ્ચે અને એસએસસીની 29 એપ્રિલથી 31 મે દરમિયાન યોજાશે. પરીક્ષા લેવાયા પછી તુરંત ઉત્તરપત્રિકાઓ તપાસવાનું કામ હાથ ધરવામાં આવશે એટલે બારમાની પરીક્ષાનું પરિણામ જુલાઈના અંતમાં અને દસમાનું પરિણામ અૉગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે એમ શાળા શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું છે.
વાસ્તવમાં રાજ્યમાં 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે હજી સુધી બધા જિલ્લામાં શાળાઓ ખૂલી નથી, પરંતુ સરકારે બૉર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે. આનાથી સવાલ એ થાય છે કે સરકાર વ્યવહારિક દૃષ્ટિએ પરીક્ષા અંગે ક્યારે નિર્ણય લેશે? કોરોના વાયરસને પગલે ગયા વર્ષના માર્ચ મહિનાથી શાળા- કૉલેજ બંધ છે. નવેમ્બરથી કેટલાક જિલ્લામાં નવમાથી લઈ બારમા સુધીની શાળાઓ ખૂલી હતી. પરંતુ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેને અડીને આવેલાં ઉપનગરોમાં હજી સુધી આંગળીના વેઢે ગણાય એટલી જ શાળાઓ ખૂલી છે. આવી સ્થિતિમાં સરકારની પ્રથમ પ્રાથમિક્તા આ સ્થળોએ શાળા ખોલાવી પ્રત્યક્ષ રૂપે અભ્યાસ કરાવવાની હોવી જોઈતી હતી. પરંતુ શિક્ષણપ્રધાને શાળા શરૂ કરાવ્યા વગર જ બૉર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.
સરકારે પહેલાં મુંબઈ અને થાણેમાં શાળાઓ ખોલવાની આવશ્યક્તા છે. તે માટે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા શાળાઓમાં ઉપાય યોજનાની તૈયારી કરવી જોઈએ. એક વાર શાળા ખૂલી જાય અને અભ્યાસ થવા લાગે પછી જ પરીક્ષાની વાત કરવી જોઈએ. જાન્યુઆરનાં ત્રણ અઠવાડિયાં વીતી ગયાં છે અને એપ્રિલથી પરીક્ષાની વાત થઈ રહી છે. આટલા ઓછા સમયમાં શાળા વિદ્યાર્થીઓને કેટલો અભ્યાસક્રમ ભણાવી શકશે? અને એ પછી પરીક્ષાની તૈયારી માટે તેમની પાસે કેટલો સમય રહેશે? આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ, પરીક્ષાનું સ્વરૂપ વગેરે બાબતો પર વિચાર કરવો જોઈએ. એમ કરવાથી વિદ્યાર્થીઓ પર પરીક્ષાની તાણ નહીં આવે અને તેઓ પરીક્ષાના બોજ વિના તૈયારી કરી શકશે. સરકારે નક્કર નિર્ણય લેવો જોઈએ. કોરોનાકાળમાં શાળાઓમાં વર્ગ લેવાની મનાઈ હતી પરંતુ સરકારે બોર્ડની પરીક્ષાનું આયોજન શાળાઓમાં જ કર્યું છે.
© 2021 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer