અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : બુધવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 3556 નવા કેસ મળી આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 19,78,044ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 70 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 50,221નો થઈ ગયો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 3009 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી 18,74,279 કોરોનાગ્રસ્તો સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યનો રિક્વરી રેટ 94.75 ટકા છે. અત્યારે રાજ્યમાં 53,365 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે.
રાજ્યમાં બુધવારે 61,460 ટેસ્ટ કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,35,62,194 ટેસ્ટ કરવામાં આવી છે.
મુંબઈ શહેરમાંથી બુધવારે કોરોનાના 675 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 3,00,474ની થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં 12 કોરોનાગ્રસ્તોના મોત થતાં શહેરનો મરણાંક 11,212નો થઈ ગયો છે.
નાશિક ડિવિઝનમાં બુધવારે કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 70,183ની થઈ ગઈ છે. જ્યારે મરણાંક 5005નો છે. પુણે ડિવિઝનમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 90,164ની થઈ ગઈ છે જ્યારે મરણાંક 11,418નો છે.
Published on: Thu, 14 Jan 2021