યુરોપ સહિતના પશ્ચિમી દેશો ભારતના વધતા જતાં પ્રભાવ અને સામર્થ્યને હજી પણ સ્વીકારી શક્યા નથી. ભારતની આઝાદી પહેલાં બ્રિટન સહિતના દેશોએ સામંતશાહી શાસનની કેળવેલી માનસિક્તા હજી પણ સામે આવતી રહે છે. પહેલગામ હુમલાથી આખી દુનિયા હચમચી થઈ છે તથા અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓએ આ આતંકવાદની ટીકા કરી છે, ત્યારે યુરોપના દેશોએ અને બ્રિટને જે રીતે પ્રતિભાવો આપ્યા છે તે તેમની માનસિક્તા છતી કરે તેવા છે. આ દેશોએ હુમલાની કડક ટીકા કરવા કરતાં વધુ ભારતને સલાહ આપતો સૂર વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીનો સત્તાવાર પ્રતિભાવ પણ ભારતને ગળે ઊતરે તેવો રહ્યો નથી.
ભારતના વિદેશપ્રધાન
એસ. જયશંકરે આ સંદર્ભમાં સોઈ ઝાટકીને કહ્યંy છે કે, ભારતને વ્યાવહારિક ભાગીદારની જરૂરત
છે ઉપદેશકની નથી. રવિવારે આર્કટિક ઇન્ડિયા ફોરમની બેઠકમાં ભારતીય વિદેશપ્રધાને સ્પષ્ટ
રીતે કહ્યંy કે, ભારત સાથે ગાઢ સંબંધો માટે યુરોપે સંવેદનશીલતા અને એકમેકનાં હિતોનાં
જતનનું પ્રદર્શન કરવું પડશે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં વાસ્તવિક્તા અને એકમેક
માટે માનનો ઉલ્લેખ કરીને જયશંકરે કહ્યંy કે, યુરોપે ભારત તરફનાં વલણને વધુ વ્યાવહારિક
બનાવું પડશે. યુરોપે સમજી લેવાની જરૂરત છે કે, યુક્રેનના મોરચે શાંતિ માટે રશિયાને
સામેલ કરવાનું અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનના જંગના સંદર્ભમાં યુરોપિયન યુનિયનમાં
સામેલ દેશો ભારતના રશિયા સાથે સંબંધોથી ભારે નારાજ છે. આ સંઘમાં ફ્રાન્સ અને જર્મની
મોટા અને વગદાર દેશ છે અને રશિયાના મુદ્દે ભારતની સામે કડક પગલાંની સતત હિમાયત કરી
રહ્યા છે. આ બન્ને દેશોએ ભારત દ્વાર રશિયા સામે વેપારી પ્રતિબંધો લાદવામાં આવે એવું
દબાણ કરાઈ રહ્યંy છે, પણ અમેરિકા અને પશ્ચિમી દેશોનાં દબાણને વશ થયા વગર ભારતે રશિયાની
સાથે વાસ્તવિકતાના આધારે સંબંધ જાળવી રખ્યા છે. વળી આ બંને શક્તિશાળી યુરોપિયન દેશો
2023 સુધી રશિયા પાસેથી ગૅસ મેળવતા રહ્યા હતા. હવે તેમને ભારત ખટકે છે અને રશિયા પાસેથી
ક્રૂડતેલ ખરીદે નહીં એવું દબાણ કરી રહ્યા છે.
જયશંકરે હવે યુરોપનાં
બેવડાં ધોરણોની ઝાટકણી કાઢી છે. પહેલગામ હુમલાના
પ્રતિભાવમાં યુરોપના અમુક દેશોના મૌન અથવા ભારતને સલાહનું વલણ નવી દિલ્હીને ગળે ઊતરે
તેમ નથી. આ દેશોએ ભારતને આતંક સામેના જંગમાં સમર્થન વ્યક્ત કરવાની તસ્દી લીધી નથી.
આ ઓછું હોય તેમ યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના નેતાએ ભારત અને પાકિસ્તાનને સંયમ
જાળવવાની સલાહ આપી દીધી. આતંકી હુમલામાં ભારતને પાકિસ્તાનની જેમ જ ગણવાનું આ વલણ કોઈ
હિસાબે ચલાવી શકાય તેવું નથી. યુરોપની પાકિસ્તાનતરફી કુણી લાગણી જૂની છે. એટલે તેને
પીડિત અને હુમલાખોર વચ્ચેનો ફર્ક જણાતો નથી. યુરોપના દેશો વિસરી જાય છે કે, ભારત હવે
વૈશ્વિક આર્થિક તાકાત બની ગયો છે. અમેરિકાના યુરોપ તરફનાં આક્રમક વલણને જોતાં આ દેશોએ
હવે તેમની વિદેશનીતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનું અનિવાર્ય બની ગયું છે. યુરોપે હવે આતંકવાદના
મામલે વાસ્તવિક્તાનો સ્વીકાર કરીને ભારતને સલાહ નહીં પણ સમર્થન આપવાનો સયમ પાકી ગયો
છે.