નવા મહાસંઘથી વાંધો ન હોવાનો આંદોલનકારી રેસલરનો ખુલાસો
નવી દિલ્હી, તા.3 : ભારતીય કુશ્તી મહાસંઘમાં ચાલી રહેલા વિવાદના દંગલ વચ્ચે આંદોલનકારી રેસલર સાક્ષી મલિકે બુધવારે ખુલાસો કર્યો કે સંજય સિંહ વિનાનું કુશ્તી મહાસંઘ તેને સ્વીકાર્ય છે.
તેમણે કહ્યંy કે નવા ભારતીય કુશ્તી મહાસંઘથી તેમને કોઈ વાંધો નથી જો બૃજભૂષણ શરણ સિંહના ખાસ સંજય સિંહને તેથી અલગ રાખવામાં આવે. 21 ડિસેમ્બરે ડબલ્યુએફઆઈના નવનિયુક્ત પ્રમુખ સંજય સિંહના વિરોધમાં નિવૃત્તિ જાહેર કરનાર સાક્ષી મલિકે આરોપ લગાવ્યો કે બૃજભૂષણના સમર્થકો તરફથી તેમની માતાને ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે. તેણે વધુમાં કહ્યું કે નવું મહાસંઘ કે એડહોક સમિતિથી તેમને કોઈ સમસ્યા નથી. માત્ર એક વ્યક્તિ સંજય સિંહના રહેતાં વાંધો છે. અમુ નથી ઈચ્છતાં કે સંજય સિંહ મહાસંઘમાં દખલ કરે.