• બુધવાર, 12 માર્ચ, 2025
મારણ નોંધ
હિન્દુ મરણ

હાલાઈ લુહાણા

હીરાબેન વસંતરાય ગાંધી. તે દામોદર રામજી દાવડાના દીકરી. 10મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

નવગામ ભાટિયા

મોરબીવાળા દક્ષાબેન વેદ (ઉં. 74). તે સ્વ. અનસૂયાબેન મથુરાદાસ વેદનાં દીકરી. સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રિકાબેન ચંદ્રકાંતભાઈ ઉદેશી, કિરણભાઈ, સ્વ. કિરીટભાઈ વેદનાં બેન. કશ્યપ, નેહા વિનયકુમાર આશર, જીગ્નેશના ફોઈ 9મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. પ્રથા બંધ છે.

 

વિસલનગરા નાગર બ્રાહ્મણ

વાલમના સ્વ. રાજીવ નવીનચંદ્ર ત્રિવેદી તથા કિરણબેનના પુત્ર રોનક (ઉં. 28) 9મીએ હાટકેશશરણ પામ્યા છે. તે જયેશ, નયના, ભાવિન, પ્રિતી, જયશ્રીના ભત્રીજા. અમી, કિંજલ, ક્ષમાના ભાઈ. સમીરકુમારના સાળા. રૂતિના મામા. ટેલિફોનિક બેસણું 11મીએ 5થી 6.

 

દશા પોરવાડ

કાલોલના વસંતકુમાર ઓચ્છવલાલ દેસાઈ (ઉં. 80) શનિવાર, 8મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. શ્વેતલના પિતા. બીરેન દિલીપભાઈ ગાંધીના સસરા. નટવરભાઈ, કોકિલાબેન, વિનોદભાઈ, અશ્વિનભાઈના ભાઈ. પ્રિયલના નાના. પ્રાર્થનાસભા 11મીએ 5થી 7. ઠે. : હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

હાલાઇ લોહાણા

જયશ્રીબેન ખંધા 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે રાજેન્દ્રભાઈનાં પત્ની. મુક્તાબેન બચુભાઈ ખંધાનાં પુત્રવધૂ. અમી અમિત દત્તાણી, અંકિતા સપન ઝરીવાલા, યશનાં માતા. અમિતભાઈ એમ. દત્તાણી, સપનભાઈ સી. ઝરીવાલાનાં સાસુ. આરવી, આરુષનાં નાની. લૌ. વ્ય. બંધ છે.

 

જનોડ એકડા વીસા ખડાયતા 

કપડવંજના સ્વ. શાંતાબેન જીવણલાલ છગનલાલ શાહના પુત્ર વિનોદભાઈ 27મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે કોકિલાના પતિ. બ્રિજેશ-સેજલ, અંકુર-િનમીષા, જ્યોતિ ઉત્કર્ષકુમાર શાહના પિતા. સ્વ. શાંતાબેન રમણલાલ મગનલાલ શાહના જમાઈ. ઋત્વી, રીયા, રિચા, યાંશીકા, મિશિકાના દાદા. પ્રાર્થનાસભા 11મીએ સવારે 9થી 10.30. ઠે. : સોનીવાડી, શિમ્પોલી સિગ્નલ, બોરીવલી (પ.).

 

વાંઝા જ્ઞાતિ

બિલખાવાળા કિશોરભાઈ નારણભાઈ રાઠોડનાં પત્ની નિરંજનાબેન (નીતાબેન) (ઉં. 68) શનિવાર, 8મીએ શ્રીગોપાલશરણ પામ્યાં છે. તે અમિતભાઈ, કલ્પનાબેન, ટીનાબેનનાં માતા. જમકુબેન ન્યાલચંદ પરમારનાં દીકરી. શ્વેતાબેન, ભાવિકભાઈ, અતુલભાઈનાં સાસુ.

 

ઘોઘારી લોહાણા 

અમરાપુર સ્વ. કાંતિલાલ કેશવલાલ સુરૈયાનાં પત્ની પુષ્પાબેન (ઉં. 81) 8મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે ગં.સ્વ. હંસા દીપકભાઈ ઠક્કર, હર્ષા બિપિન તન્ના, સ્વ. પ્રવીણા દીપકભાઈ તન્ના, નીતિનભાઈ, નિલેશ, પરેશ, સંજુનાં માતા. શિલ્પા, તથા જીજ્ઞાનાં સાસુ. અમન, કરણ, મીત, નિશી, કુશાલી, યાશીનાં દાદી. લક્ષમણભાઈ જીવનભાઈ ગણાત્રાનાં દીકરી. 

 

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય 

બગસરાના શશીક મણિલાલ પડિયાનાં પત્ની નીલમબેન (ઉં. 60) 8મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે વસંતલાલ મણિલાલ મર્થકનાં દીકરી. મિહિર, જશનાં માતા. કિશોરભાઈ, સુરેશભાઈ, લતાબેનના ભાઈનાં પત્ની. 

 

મોઢ દશા ઘોઘવા

પાટણના સ્વ. રામદાસ ચંપકલાલ પરીખનાં પત્ની ગં.સ્વ. ઇન્દિરાબેન પરીખ (ઉં. 85) 8મીને શ્રીજીશરણ પામ્યાં છે. તે પીયૂષ, હર્ષા, બીના, વંદનાનાં માતા. કાનન, જયેશકુમાર વોરા, સ્વ. પ્રફુલકુમાર વોરા, પ્રશાંતકુમાર સરૈયાનાં સાસુ. ધ્રુવનાં દાદી. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ લલ્લુભાઈ પરીખનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

મોખી ધુફીના સ્વ. સાકરબાઈ હરીરામ ખીયાના પુત્ર હીરજીભાઈ (શંભુભાઈ) (ઉં. 93) રવિવાર, 9મીએ રામશરણ પામ્યા છે. તે લક્ષ્મીબેન (કસ્તુરબેન)ના પતિ. સ્વ. ગોદાવરી મોરારજી જેઠા પલણના જમાઈ. સ્વ. ભાગેરથીબેન, સ્વ. શંકરભાઈ, સ્વ. કિશોરભાઈના ભાઈ. સ્વ. ઇલાબેન, શૈલેષ, અનિલા, અંજનાના પિતા. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 11મીએ સાંજે 5.30થી 7. ઠે. : શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી પવાણી હૉલ, પહેલે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કૃષ્ણકુમાર મુળજી દૈયા (ઉં. 88). તે રૂકમણીબેનના પતિ. રાધીકા, દિવ્યા, વિક્રમના પિતા. ગૌરી દૈયા, દિપક વિરવાણી, પ્રદીપ મફતલાલના સસરા રવિવાર 9મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર, 12મીએ સાંજે 5થી 7. ઠે. : હૉલ અૉફ કલચર, નેહરુ સેન્ટર, વરલી.

 

કોળી પટેલ

ખરસાડ (ધમડાછા)ના ગં.સ્વ. મંજુલાબેન ગાવિંદભાઈ પટેલ (ઉં. 80) 8મીને શનિવારે દેવલોક પામ્યાં છે. તે હિતેશનાં માતા. કલ્પનાનાં સાસુ. ટ્વીનલ, હિરલ, જનેશ, મયંક, હરનીશા, કરીનાનાં દાદી. ચંદ્રકાંતનાં મામી. દક્ષાબેનનાં મામી સાસુ.  બંને પક્ષનું બેસણું 12મીને બુધવારે 2થી 5 અને પુષ્પાણી 19મીને બુધવારે બપોરે 3થી 4. ઠે. : બે વ્યુ, બિલ્ડિંગ નં. 2, ફ્લૅટ નં. 1702, 17મો માળ, રામશેટ નાયક રોડ, માથરપખાડી, મઝગાંવ, મુંબઈ-10. લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય

ગોંડલના સ્વ. મણીબેન પરમાનંદદાસ વશરામ આશરાનાં પુત્રી સ્વ. કમળાબેન મણિયાર (ઉં. 85) 9મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. વિનેશચંદ્ર ભાનુલાલ મણિયારનાં પત્ની. પારૂલ, રાજેશ, ભાવના જગદીશ પડિયાનાં માતા. લલિત, સુરેશ, સ્વ. ઉર્મિલા જેન્તીલાલ જરીવાલા, ગં.સ્વ. ચારૂલતા દિનેશ જાજલ, ગં.સ્વ. હર્ષદા ગંગાધર નામદાર, દક્ષા ભાનુલાલ મણિયારનાં ભાભી. જગદીશ પડિયા, નીલાંગીનાં સાસુ. લૌકિક પ્રથા બંધ છે.  ઠે. : રૂમ ન. 1, સાંઈ પ્રસાદ, વાય. આર. તાવડે રોડ, દિપા હૉટેલની બાજુમાં, દહીસર (પ.).

જૈન મરણ

સ્થાનકવાસી જૈન

વંથલીના ચુનીલાલ પરષોત્તમ મીઠાનીના પુત્ર જ્યોતિન્દ્રભાઈ (ઉં. 72) 8મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે નીલાબેનના પતિ. જીગર, કોમલ રિશી ભદ્રેશાના પિતા. સ્વ. જસવંત, અરુણ, હરેશ, બિપીન, સ્વ. સતીશ, શૈલા ગિરીશ કોઠારી, જયશ્રી મહેશ શાહ, હર્ષા હર્ષદ મહેતા, ઇલા મહેશ દોશીના ભાઈ. સ્વ. હરીલાલ ખેતશી દોશીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 15મીને શનિવારે સાંજે 3થી 5. ઠે. : વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ સર્વોદય હૉલ, એલ.ટી. રોડ, બોરીવલી (પ.). ચક્ષુદાન કર્યું છે.

 

કવીઓ જૈન

રતાડિયા ગણેશના શોભના છેડા (ઉં. 62) 8મીએ અવસાન પામ્યા છે. તે કેશરબેન દેવજીના પુત્રવધુ. અરાવિંદના પત્ની. કરણ, પલકના માતા. રૂક્ષ્મણીબેન પ્રેમજીની પુત્રી. અશ્વીન, જસ્મીનાની બેન. પ્રા. : કરસન લધુ નિસર હોલ, દાદર(પ.). 2થી 3.30.

 

તલવાણાના ભરત છેડા (ઉં. 63) 9મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન આસધીરના પૌત્ર. સ્વ. રતનબેન સવરાજના પુત્ર. હંસા, કિશોરના ભાઇ. સ્વ. સુંદરબેન લાલજીના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ. : કિશોર છેડા, ડી-5, લેકવ્યુહ સો.,ગણેશ મંદિરની સામે, પંચકુટીર, પવઇ-76.

 

કપાયાના કલ્પનાબેન નાગડા (ઉં. 64) 8મીએ અવસાન પામ્યા છે. તે જયંતિલાલના પત્ની. પુષ્પાબેન (પાનબાઈ) ધનજી નથુના પુત્રવધુ. નિધિ, માનસીના માતા. અમૃતબેન પોપટલાલ સારંગ સાવલાના પુત્રી. કિશોર, જયંત, સુરેખા પ્રવિણ હીરજીના બેન. પ્રા. : માટુંગા ક.શ્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી. 4થી 5.30.

 

દેશલપર (કંઠી)ના પ્રાણજીવન વીરા (ઉં. 82) 9મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન ખેરાજ નાગશી વીરાના પુત્ર. વિમલાના પતિ. મયુર, તુષાર, વિરલના પિતા. દિલીપ, કોકિલા, જયવંતીના ભાઈ. ભાણબાઈ મુરજી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ. : પ્રાણજીવન ખેરાજ વીરા, ઈ-001, શિવ શક્તિ કોમ્પલેક્ષ, એસ. વી. રોડ, દહીસર (પૂ.).


ભુજપુરના રવિલાલ ભેદા (ઉં. 74) 9મીએ રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે નેણબાઇ ભાણજી લાલજીના પુત્ર. નિર્મળાના પતિ. સંદીપ, મયુરીના પિતા. શાંતા, મંજુલાના ભાઇ. રતનબેન ટોકરશી નેણશી ગોગરીના જમાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે. : રવિલાલ ભેદા, 302, રીશીકેત, ઇર્લાલેન, વિલેપાર્લા (પ.).

 

ગોધરાના પ્રભાબેન ગાલા (ઉં. 78) 8મીએ અવસાન પામ્યા છે. તે મઠાંબાઇ નાગજીના પુત્રવધુ. અમૃતલાલના પત્ની. જગેશ, હર્ષા, મીતાના માતા. લીલબાઇ હંસરાજ ગેલાભાઈ ગંગરના પુત્રી. મણીલાલ, ચંચળબેન, સુશીલાબેનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : પ્રભાબેન ગાલા, 301, આપ્ટે એપાર્ટમેન્ટ, એ-ટાવર, ખર્ચીકર લેન,

 

રાવપુરા, વડોદરા.

નાની તુંબડીના મહેન્દ્ર બૌઆ (ઉં. 80) 9મીએ અવસાન પામ્યા છે.  મણીબેન ઉમરશીના પુત્ર. ધનલક્ષ્મીના પતિ. રીતેષ, પાયલના પિતા. પ્રવિણ, ધનવંતી કાંતિલાલ, પ્રભા જયંત, રંજન મુલચંદ, અમૃત સુરેશ, જ્યોતિ ચાંપશીના ભાઇ. મણીબેન જેઠાલાલ છેડાના જમાઈ. પ્રા. : કરસન લધુ નીસર હોલ, દાદર (પ.). 4થી 5.30.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

બુઢણાના સવિતાબેન નગીનદાસ શાહ (ઉં. 97) શનિવાર 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. જિતેન્દ્રભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, ભાવનાબેન, ગીતાબેનનાં માતા. મહેન્દ્રભાઈ, ભારતીબેન, કલ્પનાબેન, હર્ષાબેનનાં સાસુ. કિંજલ, સાગર, પાયલ, ચિરાગ, અમિષા, શ્રેણિકનાં દાદી. સિદ્ધિ, મીતનાં નાની. સ્વસુર પક્ષ - સ્વ. ચુનીલાલ ગોરધન શાહ, પિયર પક્ષ - સ્વ. શાંતિલાલ દીપચંદ શાહ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટના ગં.સ્વ. ચંદ્રીકાબેન ભીમાણી (ઉં. 82). તે  સ્વ. શશીકાંતભાઈ અમીચંદભાઈ ભીમાણી (જીબુટીવાળા)નાં પત્ની. ઉર્વશી ધીરેનભાઈ મહેતા, મનીષા, નીતા આશિષભાઈ શાહ, ઋષિતાનાં માતા. કેવલ્યના નાની. સ્વ. શાંતિલાલ છગનલાલ કામદારનાં પુત્રી 10મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે.  લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

અ.સૌ. અરુણાબેન નાથાલાલ કોઠારી 9મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. સુભદ્રાબેન નાથાલાલ કોઠારીનાં દીકરી. સ્વ હરેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈનાં બહેન. પ્રજ્ઞા, મીના, ઈલાનાં નણંદ. સેજલ, એકતાનાં માતા. લૌ. વ્ય. બંધ છે.

 

વાગડ વી. ઓ. જૈન

નૂતન ત્રંબૌના સોનાબેન શાહ (ઉં. 86) 9મીએ અવસાન પામ્યા છે. તે કામલબેન કરમશી કુંભાણીના પુત્રવધુ, સ્વ. હેમરાજના પત્ની, જગદીશ, સ્વ. ધીરજ, મંજુલા, પ્રભા, સ્વ. ભારતીના માતા. આશા, ગં.સ્વ. નિર્મળા, હંસરાજ, હસમુખના સાસુ. તેજીબેન નોંઘા હીરા બૌવાના દીકરી. પ્રાર્થના સભા 11મીએ મંગળવારે 3થી 4.30. ઠે. : થાણા વર્ધમાન સ્થાનક, તળાવપાળીની સામે, થાણા.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

લાઠીના સ્વ. શાંતાબેન જયંતીલાલ વધાણીના પુત્ર ચંદ્રકાંત (ઉં. 76) 9મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 11મીને બપોરે 3થી 5. તે રીટાબેન (રંજનબેન)ના પતિ. જતીન, કેયુર, કાજલ પ્રશાંતભાઈ સરવૈયાના પિતા. સ્વ. સુરેશભાઈ-ભાવનાબેન, વિજયભાઈ-સ્વ. હર્ષાબેન, નિલેશભાઈ-બીનાબેન, દિપકભાઈ-કલ્પનાબેન વધાણી, હંસાબેન અનિલભાઈ ઉદાણીના ભાઈ. સ્વ. મનસુખલાલ ગીરધરલાલ મહેતાના જમાઈ. બન્ને પક્ષની સાદડી રાખી છે. ઠે. : ઇન્ડિયન મેડિકલ ઍસોશિયેશન, ચંદન સિનેમા પાછળ, જે.વી.પી.ડી. સ્કીમ, જુહુ.

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો