અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ
નાયબ મુખ્ય પ્રધાન સ્વ. રામરાવ આદિકની વિધવા હોવાનું કહીને તેમનું પેન્શન લીધું હોવાનો
આરોપ ધરાવતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. લેખા પાઠકની આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટે સોમવારે
મંજૂર કરી છે. રામરાવ આદિક વકીલ અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા. 2007માં
78 વર્ષની વયે તેમનું નિધન થયું.....