બાવીસમી એપ્રિલે પહેલગામમાં હિન્દુ પર્યટકો ઉપર હુમલો અને હત્યાકાંડ થયા પછી આપણે પાકિસ્તાનને ભારતીય મહિલાના સિંદૂરની શક્તિનો પરચો આપ્યો અને તે પછી પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ કરવા માટે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિશ્વના 33 દેશોની મુલાકાતે મોકલ્યા પછી કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ભારતની નીતિ અને સિદ્ધિ બાબત બબાલ - વિરોધ કરીને ભારત સરકાર અને સેનાની નિષ્ફળતાની કાગારોળ મચાવી - જે હજુ જારી છે ત્યારે તમામ પ્રતિનિધિમંડળોના 59 સર્વપક્ષી સભ્યોએ વડા પ્રધાનને મળીને મિશનની સફળતાનો રિપોર્ટ આપ્યો છે! વડા પ્રધાન મોદીએ સૌને સફળતા બદલ અભિનંદન આપીને રાષ્ટ્રીય ભાવના - પ્રેમ બદલ ગૌરવ હોવાનું જણાવ્યું છે.
સર્વપક્ષી પ્રતિનિધિઓ
વડા પ્રધાનને મળ્યા અને એમના અનુભવ - ભારતની રાષ્ટ્રીય એકતાથી વિદેશો પ્રભાવિત થયા
હોવાનું જણાવ્યું. આવા પ્રયાસ અને પ્રચાર આપણી ડિપ્લોમસી - કૂટનીતિમાં ચાલુ રાખવા જોઈએ
એવા સૂચનનો વડા પ્રધાને સ્વીકાર કર્યો અને કહ્યું કે, આવી કાયમી વ્યવસ્થા થશે.
પાકિસ્તાનમાં
સરકાર - સેના અને આતંકીઓ - વચ્ચે સમજૂતી અને ભાગ બટાઈ હોવાથી અને ચીનની મદદથી શસ્ત્રો
ભેગા કરવાનું શરૂ થયું હોવાથી આતંકના અંતની આશા રાખવી વ્યર્થ છે. ભારતે વારંવાર ચેતવણી
આપી છે કે એક પણ આતંકી હુમલો છૂંછી થશે તો સખત જવાબ અપાશે. તેથી હજુ આતંક સામેનો જંગ
લાંબો ચાલશે એમ લાગે છે અને તેથી વિશ્વના લોકશાહી દેશો સાથે સંપર્ક, સંવાદ અને સમજૂતી
માટે કાયમી વ્યવસ્થા અનિવાર્ય છે. ભારતીય સંસદ સાથે વિશ્વની અન્ય સંસદ મૈત્રીની સમજૂતી
છે, પણ હવે આ દિશામાં ભારત વધુ સક્રિય બનશે.
વિશ્વ પ્રવાસ
દરમિયાન સિંધુના જળપ્રવાહનો પ્રશ્ન પણ ચર્ચાયો હોવાનું લાગે છે. ભારતીય પ્રતિનિધિઓએ
મોદી મંત્ર ટાંકીને જણાવ્યું: પાણી અને લોહી એકસાથે વહી શકે નહીં. આતંક અને વ્યાપાર
સાથે હોય નહીં - આ વાક્ય - મંત્રની ધારી અસર વિદેશોમાં થઈ હોવાનું મનાય છે.
વિદેશો સાથેના
આવા પ્રત્યક્ષ સંપર્ક અને સંવાદની અસર પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકે છે.
એક તો આતંકી કાવતરાંના અમલ પહેલાં બે વખત વિચાર કરશે અને બીજું - વિશ્વમાં નાણાકીય
મદદ માગવા નીકળે છે ત્યારે આતંક માટે મદદ નહીં મળે એવું વાતાવરણ થયું છે. નાણાભંડોળે
લોન આપવા માટે શરતો મૂકી, યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનને કદ મુજબ વેતરી નાખવામાં આવ્યું.
આપણા પ્રથમ વડા
પ્રધાન નેહરુ કાશ્મીરનો પ્રશ્ન યુનાઈટેડ નેશન્સમાં લઈ ગયા અને કાંડાં કાપી આપ્યાં.
હવે મોદી યુનાઈટેડ નેશન્સ ઉપરાંત વિશ્વના તખતા ઉપર વિશ્વસભામાં પાકિસ્તાનનો નકાબ ઉતારીને
આતંકી ચહેરો બતાવે છે. હવે સર્વપક્ષી ડિપ્લોમસીની વ્યવસ્થા કાયમી બનશે - કૉંગ્રેસ
- રાહુલ ગાંધીની કાગારોળ કોણ સાંભળશે?