• શુક્રવાર, 13 જૂન, 2025

બીએસએફ જવાનો માટે ભંગાર ટ્રેન મોકલાતા ચાર અધિકારી સસ્પેન્ડ

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે અપાયેલી ટ્રેનનાં બારી, દરવાજા, ટોઇલેટ તૂટેલાં, સીટો ગાયબ

નવી દિલ્હી, તા. 11 : અમરનાથ યાત્રાની સુરક્ષામાં તહેનાતી માટે જનારા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના 1200 જવાનો માટે ઘણી રાહ જોવડાવીને મોડેથી માંડ મોકલાયેલી ટ્રેનની તૂટેલી ફૂટેલી દશા જોતાં જ જવાનોએ તેમાં ચડવાની ના પાડી દીધી હતી. પાંચ દિવસ જૂના આ મામલાનો વીડિયો સામે આવ્યા બાદ રેલવે મંત્રાલયે.....