• શુક્રવાર, 13 જૂન, 2025

ઝઘડાખોર પત્નીથી ત્રાસેલા પુરુષોએ ઊંધા ફેરા ફરી ઊજવી વટ-પૂર્ણિમા

સાત જન્મ તો શું સાત સેકન્ડ માટે પણ નહીં જોઈએ આવી પત્ની : યમરાજને કરી વિનંતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 :  મંગળવારે દેશભરની પરીણિત મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે વટ-સાવિત્રીનું વ્રત કર્યું, ઉપવાસ કર્યા અને વડની ફરતે દોરીઓ પણ બાંધી. બીજી તરફ પત્નીના ત્રાસનો ભોગ બનેલા છત્રપતિ સંભાજીનગરના કેટલાક પુરુષોએ વટ-પૂર્ણિમાનો પ્રતિકાત્મક વિરોધ કરતા પીપળા પૂર્ણિમા ઊજવી હતી.  આ તમામ પત્નીપીડિત પુરુષ આશ્રમના સભ્યો.....