કૉંગ્રેસની નેતાગીરી હેઠળ વિરોધ પક્ષોએ સંસદના વિશેષ સત્રની માગણી ઉઠાવી તેનું આશ્ચર્ય નથી. ભારતીય સેના અને સરકારની ‘ક્ષતિઓ’ શોધીને ટીકા-પ્રહાર કરવાની ધારણા અને વ્યૂહ જાણીતો છે. આપણા સંરક્ષણ દળોના વડા જનરલ ચૌહાણે સિંગાપોરની એક બેઠકમાં હાજરી આપ્યા પછી ન્યૂઝ એજન્સીઓને આપણી સેનાના પરાક્રમ અને નુકસાનની માહિતી આપી છે ત્યારે સંસદમાં સરકાર અમારા સવાલોના જવાબ આપે એવી માગણી થઈ તે બાલિશ - બિનજવાબદાર છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે યોગ્ય વલણ લીધું છે. સંસદમાં સંવેદનશીલ માહિતી માગવામાં આવે અને આપવામાં આવે તો તે રાષ્ટ્રહિત માટે યોગ્ય નથી એમ જણાવીને તેઓ કૉંગ્રેસ મોરચાની માગણીમાં જોડાયા નથી.
રાહુલ ગાંધીએ
અૉપરેશન સિંદૂર સંબંધમાં ઉઠાવેલા સવાલોના યોગ્ય જવાબ સંરક્ષણ દળોના વડા જનરલ અનિલ
ચૌહાણે આપી દીધા છે અને અૉપરેશનમાં આપણને કેટલું નુકસાન થયું તથા દુશ્મનની આપણે જે
તબાહી કરી તેની વિગત આપવાની ખાતરી પણ એમણે આપી છે તે જોતાં હવે સંસદના વિશેષ
સત્રની જરૂર જણાતી નથી. આગામી મહિના - જુલાઈમાં વર્ષાસત્રમાં વડા પ્રધાન મોદી
‘અૉપરેશન સિંદૂર’ અને ‘અૉપરેશન વિરોધ પક્ષ’ની માહિતી આપીને રાષ્ટ્રહિતના
હિતશત્રુઓને ઉઘાડા પાડશે એમ મનાય છે.
રાહુલ ગાંધી
ઉપરાંત જયરામ રમેશ અને સંજય રાઉત અૉપરેશન સિંદૂરની શરૂઆતથી જ સેના અને સરકાર પાછળ
પડÎા હતા. સફળતા અંગે શંકા વ્યક્ત કરીને સેના અને લોકોનો જુસ્સો તોડવાનો ઇરાદો
હતો. આપણાં રાફેલ વિમાનો કેટલાં તોડી પડાયાં એવા પ્રશ્ન કોઈ રાષ્ટ્રના પ્રેમી -
હિતેચ્છુ ઉઠાવે નહીં - દુશ્મનની નુકસાની પૂછીને સેનાને શાબાશી આપવી જોઈએ. સલામ
કરીને પીઠ થાબડવી જોઈએ પણ આવો રાષ્ટ્રપ્રેમ બતાવે કોણ?
હકીકતમાં આપણે
પાકિસ્તાનનાં ઘણાં જેટ ફાઇટર વિમાનો તોડી પાડÎાં છે. અમેરિકી બનાવટનું માલવાહક તોતિંગ વિમાન હરક્યુલીસ પણ
ભોગ બન્યું. હવે પાકિસ્તાની પ્રતિનિધિમંડળે યુનાઇટેડ નેશન્સને નુકસાનીની જે યાદી
આપી છે તે આપણા અંદાજથી પણ ઘણી મોટી છે. આ જાણ્યા પછી રાહુલ ગાંધી ઍન્ડ કંપનીને
સંતોષ - અને ખુશી થાય છે કે દુઃખ?
જનરલ ચૌહાણે પુણેમાં સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટીમાં ‘ભવિષ્યની લડાઈ’ ઉપર બોલતાં અૉપરેશન સિંદૂરની માહિતી આપવાની તક ઝડપી લીધી તે યોગ્ય કર્યું છે. વિપક્ષોના કુપ્રચારનો જવાબ આપવા અને દેશને વાસ્તવિકતા જણાવવાનો આ અવસર હતો.
આટલી સત્તાવાર
માહિતી મળ્યા પછી પણ રાહુલ ગાંધીએ વડા પ્રધાનની મજાક ઉડાવવા બાલિશ,
બચકાના હરકત છોડી નથી! ઇંદોરમાં કૉંગ્રેસી કાર્યકરોને
સંબોધતાં એમણે મિમિક્રી કરી - ચેનચાળા કરીને કહ્યું કે “ટ્રમ્પના આદેશ પછી મોદીએ
‘જીહજૂર’ કહીને યુદ્ધ વિરામની જાહેરાત કરી છે! ઘૂંટણિયે પડÎા છે!” રાહુલ ગાંધીએ એમનાં દાદી ઇન્દિરા ગાંધી કેવાં મક્કમ
હતાં - 1971માં અમેરિકાનાં નૌકાદળનો કાફલો આવી રહ્યો હતો તો પણ ડગ્યાં
નહીં એવો દાવો કર્યો છે! 1971માં રાહુલ ગાંધી ક્યાં હતા?
ઘોડિયામાં - કે બાબાગાડીમાં અંગૂઠો ચૂસતા હશે! એમણે ફિલ્ડ
માર્શલ માણેકશાનું નામ સાંભળ્યું છે ખરું?
અત્યારે જે દાવા બહાદુરીથી કરી રહ્યા છે ત્યારે કહેવું જોઈએ
કે કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના...