રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુની હાજરીમાં
વડા પ્રધાન મોદીએ ભૌગોલિક, સામાજિક અને રાજકીય સમીકરણની સરકાર બનાવી
એનડીએ સરકારમાં 30 કૅબિનેટ મંત્રી : ટીડીપી, જેડીયુ, નાના દળોને `ટેકા' રૂપે મંત્રીપદ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 9 : વરાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સાંજે 7.23 વાગે ત્રીજી મુદત માટે વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ....