મહાયુતિ સરકાર સામે નવો પડકાર
મુંબઈ, તા. 25 : કમોસમી વરસાદ અને વાવાઝોડાએ પશ્ચિમ વિદર્ભ અને મરાઠવાડાના કૃષિ ક્ષેત્રોમાં વિનાશ વેર્યો છે, જેના કારણે 38,000 હેક્ટરમાં ઊભેલા પાકને નુકસાન થયું છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વાશીમ, અમરાવતી, જાલના, સંભાજીનગર અને બીડનો સમાવેશ થાય છે, જ્યાં મકાઈ, ડુંગળી, ફળો અને શાકભાજીને વ્યાપક નુકસાન થયું છે. આઠ એપ્રિલથી મુશળધાર વરસાદ, કરા અને વાવાઝોડાએ...