રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવાર અને એમના ભત્રીજા અજિત પવાર વચ્ચે સમજૂતી થયાના અને બંને ફરીથી જોડાઈને એક થવા અંગે અટકળો અને અહેવાલો છેલ્લા ઘણા વખતથી ચર્ચામાં છે પણ શરદ પવારે આ અહેવાલો અને જોડાણની શક્યતાને જાહેરમાં રદિયો આપ્યો છે. હવે જોડાણની વાતો બંધ થાય છે કે નહીં તે જોવાનું છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં - મૂળ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં
ભંગાણ પડÎા પછી એકનાથ શિંદે અને અજિત પવાર રાજ્યની ભાજપ સરકારમાં જોડાયા છે છતાં છેલ્લા
કેટલાક સમયથી બંને પક્ષોના ફરીથી જોડાણની શક્યતા ચર્ચાઈ રહી છે. શરદ પવારના ભત્રીજા
અજિત પવારે આવી શક્યતા નકારી નથી અને શરદ પવારને અવારનવાર મળતા હોવાથી શક્યતા વધી હોવાનું
મનાતું હતું આખરે શરદ પવારે રદિયો આપ્યો છે.
પુણેમાં પીંપરી ચિંચવડ ખાતે પક્ષના કાર્યકરોની બેઠકમાં બોલતા
એક કાર્યકરે ‘સૌને સાથે લઈને ચાલવાનો આ સમય છે’ એમ કહ્યા પછી પક્ષના સ્થાપક વરિષ્ઠ
નેતા શરદ પવારે પૂછ્યું - સૌને એટલે કોને? અને પછી જવાબી ખુલાસો આપતાં કહ્યું કે જે
લોકો સત્તા માટે પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તેમની સાથે એકતાનો
પ્રશ્ન જ નથી. એમની સાથે ચાલવાનું વિચારી શકાય નહીં. અજિત પવારનો નામોલ્લેખ કર્યા વિના
સિનિયર પવારે એમ પણ કહ્યું કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જ્યોતિરાવ ફુલે અને બી.
આર. આંબેડકરની વિચારધારામાં અમે માનીએ છીએ અને સત્તા માટે આ વિચારધારાને છોડીને ભાજપ
સાથે જોડાનાર સાથે રહેવાનો સવાલ નથી.
બીજી બાજુ - અજિત પવારે માત્ર એટલું જ કહ્યું છે કે સૌને
પોતાના વિચાર વ્યક્ત કરવાનો હક છે. હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના જોડાણ વિષે અટકળોને
રદિયો આપ્યો છે ત્યારે અજિત પવારે ભાજપ સાથે સમજૂતીથી રહેવું પડશે.