• શુક્રવાર, 27 માર્ચ, 2026

અંબરનાથમાં રખડતાં શ્વાનના હુમલામાં વિદ્યાર્થિની ઘાયલ

શાળાથી પાછી ફરી રહી હતી ત્યારે શ્વાન તૂટી પડયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : થાણે જિલ્લાના અંબરનાથમાં એક 11 વર્ષની શાળાની વિદ્યાર્થિની પર રખડતાં શ્વાને હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. વિદ્યાર્થિની શાળામાંથી નીકળી ઘર તરફ જઈ રહી હતી ત્યારે એક કાળા રંગનો શ્વાન તેના પર ધસી ગયો હતો. વિદ્યાર્થિનીએ બચવાનો પ્રયાસ કરવા છતાં શ્વાને તેના હાથમાં બચકું ભરી લીધું....