બાંગ્લાદેશના `મુખ્ય સલાહકાર' મોહમ્મદ યુનુસ અચાનક રાજીનામું આપે એવી શક્યતા ચર્ચાઈ રહી છે અને આ માટે કારણ એવું અપાઈ રહ્યું છે કે ચૂંટણી ક્યારે કરાવવી તે વિષે રાજકીય પક્ષોમાં સહમતી નથી તેથી યુનુસ મૂંઝાયા છે. બીજી બાજુ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અને શાસનના નિર્ણય લેનારા વચ્ચે પણ ગંભીર મતભેદ છે. ગયા જુલાઈ મહિનામાં બાંગ્લાદેશમાં તત્કાલીન સરકાર સામે બળવો થયો તે પછી મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર નીમવામાં આવ્યા હતા. હિન્દુઓ ઉપર અત્યાચાર થયા, કત્લેઆમ અને લૂંટફાટ થઈ ત્યારે તે રોકવાને બદલે યુનુસે કહ્યું હતું કે આવી ઘટનાના અહેવાલો અતિશયોક્તિભર્યા છે! હકીકતમાં પાકિસ્તાનના પડખે ચડેલા મોહમ્મદ યુનુસની નજર સામે પાકિસ્તાને હિન્દુ - વિરોધી હિંસાચારનો સફળ પ્રયોગ કર્યો અને પહલગામમાં હત્યાકાંડ કરી બતાવ્યો. હવે મોહમ્મદ યુનુસને ભાન થયું છે કે તેઓ વાઘસવારી કરી રહ્યા છે. રાજીનામું આપવા માગે છે પણ આપી શકે એમ નથી.
પાકિસ્તાની આતંકી અડ્ડાઓ ઉપર ભારતના હુમલા
શરૂ થયા પછી એક બાંગ્લાદેશી પ્રધાને શેખી કરી હતી કે જરૂર જણાય તો અમે ઇશાન ભારતને
અલગ કરીને ઝડપી લેશું ત્યારે ભારતે જવાબ આપ્યો હતો કે તમારે સો જન્મ લેવા પડશે!
આ પછી - મોહમ્મદ યુનુસે ચીનની યાત્રામાં
ઇશાન ભારતનાં રાજ્યોને ક્યાંય સમુદ્રમાર્ગ નથી અને આ વિસ્તારમાં બાંગ્લાદેશનું સામ્રાજ્ય
છે તેથી ચીનના અર્થતંત્ર માટે લાભકર્તા થઈ શકે. ઇશાન ભારત, નેપાળ અને ભૂતાનમાં ચીની
મૂડીરોકાણ થઈ શકે પણ મોહમ્મદ યુનુસ જાણતા નથી કે ભારત માટે ઇશાન ભારતના સાત રાજ્યો
- સાતબહેનો, સેવન સિસ્ટરો છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીએ આ વિસ્તારની મુલાકાત લઈને
કહ્યું કે આ માત્ર અમારાં સરહદી રાજ્યો નથી, ભારતની વિકાસ યાત્રામાં આગેવાન છે. બાંબુ,
પેટ્રોલિયમ, સૂર્યા- સૌર ઊર્જા વગેરેમાં મૂડીરોકાણ થઈ રહ્યું છે. મુકેશ અંબાણી અને
ગૌતમ અદાણીએ બે લાખ કરોડથી વધુ રોકાણ કર્યું છે.
મોહમ્મદ યુનુસ ચીનના મૂડીરોકાણ માટે માર્ગ
મોકળો કરવા માગતા હતા પણ હવે એમનો પોતાનો માર્ગ મુશ્કેલ થઈ રહ્યો છે. મ્યાનમાર માટે
`માનવીય માર્ગ - કોરીડોર' જેથી રાહત સામગ્રી પહોંચાડી શકાય - ખોલાવા માગે છે - શક્ય
છે કે આની પાછળ ચીન જ હોય. આથી બાંગ્લાદેશની સેનાના વડા ભડકી ઊઠયા છે અને આવો કોઈ પણ નિર્ણય ચૂંટાયેલી સરકાર જ લઈ શકે,
વચગાળાની સરકાર અથવા મુખ્ય સલાહકાર લઈ શકે નહીં - એમ કહીને સેનાપતિએ યુનુસની સત્તાને
પડકારીને સૌને ચોંકાવી દીધા છે! રાષ્ટ્રીય સલામતી સલાહકારે પણ કહ્યું છે કે સરકારે
આ અંગે અમારી સાથે કોઈ ચર્ચા કરી નથી અને કરવા માગતી નથી.
દરમિયાન વિદ્યાર્થી બળવાના મુખ્ય આગેવાનોએ
મોહમ્મદ યુનુસને મળ્યા પછી કહ્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે. આમ છતાં બાંગ્લાદેશમાં
આંતરિક સ્થિતિ અનિશ્ચિત છે અને આ તો શરૂઆત છે.