પાકિસ્તાની આતંકવાદીઓએ પહલગામમાં હિન્દુ પર્યટકો ઉપર હુમલો અને હત્યાકાંડ કર્યા પછી દેશભરમાં અૉપરેશન સિંદૂરને સમર્થન મળ્યું છે. વ્યાપારી વર્ગથી વિદ્યાર્થીઓ સુધી સૌએ પ્રબળ રાષ્ટ્રપ્રેમ જગાવ્યો છે ત્યારે જયપુરમાં મીઠાઈની દુકાનોએ ‘માયસોર પાક’નું નામ બદલીને ‘માયસોર ભારત’ રાખ્યું છે! ગ્રાહકોની માગણી હતી કે પાકિસ્તાનનું નામોનિશાન નહીં જોઈએ - તેથી કર્ણાટકના આ વિશિષ્ટ પકવાનના નામમાંથી ‘પાક’ ઉપર સ્ટ્રાઈક થઈ છે. એક ગ્રાહકે તો એવી ટકોર કરી કે આપણે પાણીમાં કૂદકો મારીએ ત્યારે અવાજ છાર્શી થાય છે - છ-પાક નહીં!
આ અગાઉ પકવાનોમાં જ્યાં ‘પાક’ શબ્દ આવે છે તેમાંથી પાકની
બાદબાકી કરીને નવા નામ ‘વાયરલ’ થયાં છે! આપણાં પકવાનો - શિયાળુ વાનગીઓમાં સાલમ - પાક
- વગેરે ઘણાં છે ત્યારે પાકિસ્તાનને અપાયેલા ‘મેથી-પાક’નું નામ બદલવાની જરૂર નથી.
કર્ણાટકનો ‘માયસોર પાક’ હવે તો રાષ્ટ્રીય પાક તરીકે દેશના
ખૂણે ખૂણે લોકપ્રિય છે. હવે નામ બદલવા પાછળ રાષ્ટ્રપ્રેમની ભાવના છે - નામ બદલાય તો
પણ સ્વાદ યથાવત્ રહેશે.
મીઠાઈની આ વાનગીનું નામ કેવી રીતે પડÎું તેની માહિતી પણ રસપ્રદ
છે! કર્ણાટકમાં ‘માયસોર’ (હવે માયસૂરુ) રાજ્યના લોકપ્રિય રાજવી કૃષ્ણરાજા વાડિયાર
(1902થી 1940) હતા. બેંગલોરને એશિયામાં સૌપ્રથમ બેંગલોરમાં ઈલેક્ટ્રિસિટી લાવવાનો યશ
એમને મળે છે. એમના રસોઈઘરમાં મુખ્ય રસોઈયા કાકસૂરા પાડપ્યા હતા. રાજાજી સ્વાદિષ્ટ ભોજનના
રસિયા હતા. એમને ખુશ કરવા માટે ચણાનો લોટ - બેસન - ઘી અને ખાંડની ચાસણીથી ‘પાક’ બનાવ્યો.
રાજાજી ખુશ થયા - અને એમના રાજ્ય - માયસોરનું નામ આ ‘પાક’ સાથે જોડી દીધું જે અત્યારે
દેશવ્યાપી છે!