• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

મંત્રાલયના ફક્ત છ વિભાગ દ્વારા ઈ-ફાઈલ સિસ્ટમનો અમલ  

મુંબઈ, તા. 18 : મંત્રાલયના 32 વિભાગોમાંથી ફક્ત વિભાગે ફાઈલો રજૂ કરવા માટે એકસમાન પદ્ધતિ સ્વીકારી છે. બાકીના વિભાગોએ જનરલ ઍડમિનિસ્ટ્રેશન વિભાગના આદેશને ગણકાર્યો નથી. આથી મંત્રાલયમાં -અૉફિસ સિસ્ટમ અમલમાં મૂકવામાં અવરોધ નિર્માણ થઈ રહ્યો હોવાનું જનરલ ઍડમિનિસ્ટ્રેશન વિભાગના અધિકારીઓનું કહેવું છે. 

મંત્રાલયનું રોજિંદું કામકાજ કઈ રીતે થવું જોઇએ માટે તમામ અધિકારી અને કર્મચારી માટે 1994માં મૅન્યુઅલ અૉફ અૉફિસ પ્રોસિજર પુસ્તિકા તૈયાર કરવામાં આવી હતી. મુજબ મંત્રાલયનું કામકાજ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2022માં કેન્દ્રીય સચિવાલય કાર્યાલયીન કાર્યપદ્ધતિ નિયમ પુસ્તિકા તૈયાર કરવામાં આવી. પુસ્તિકાના આધારે વહીવટી તંત્રમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે પદરચના નિયોજન, જનરલ ઍડમિનિસ્ટેશન વિભાગ, જળસંપદા, નાણાં વિભાગ, સમાજ કલ્યાણ અને આદિવાસી વિભાગ દ્વારા -ફાઈલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. બાકીના વિભાગોએ હજી પદ્ધતિ અપનાવી નથી.